નીતિવચનો ૨૮:૧-૨૮

  • નિયમ ન પાળનારની પ્રાર્થના ધિક્કારને લાયક છે ()

  • અપરાધ કબૂલ કરનારને દયા બતાવવામાં આવે છે (૧૩)

  • રાતોરાત અમીર બનવા માંગે છે, તે નિર્દોષ રહેશે નહિ (૨૦)

  • ખુશામત કરતાં ઠપકો વધારે સારો (૨૩)

  • ઉદાર માણસને કશાની ખોટ પડશે નહિ (૨૭)

૨૮  કોઈ પીછો કરતું ન હોય તોપણ દુષ્ટ લોકો ભાગે છે,પણ નેક લોકો સિંહ જેવા હિંમતવાન હોય છે.+  ૨  ગુનાથી* ભરેલા દેશમાં અધિકારીઓ બદલાતા રહે છે,+પણ સમજુ અને જ્ઞાની સલાહકારની મદદથી અધિકારી* લાંબો સમય ટકે છે.+  ૩  લાચારને છેતરનાર ગરીબ માણસ+ફસલને તાણી જનાર વરસાદ જેવો છે.  ૪  નિયમ તોડનાર લોકો દુષ્ટની પ્રશંસા કરે છે ત્યારે,તેઓ પર નિયમ પાળનારા ગુસ્સે ભરાય છે.+  ૫  દુષ્ટ લોકો ન્યાય સમજતા નથી,પણ યહોવાનું માર્ગદર્શન શોધનાર લોકો બધું સમજી શકે છે.+  ૬  અવળે માર્ગે ચાલનાર ધનવાન કરતાં+પ્રમાણિકતાથી* ચાલનાર ગરીબ વધારે સારો.  ૭  સમજુ દીકરો નિયમ પાળે છે,પણ ખાઉધરાનો મિત્ર પિતાનું અપમાન કરે છે.+  ૮  બેઈમાનીથી અને ઊંચું વ્યાજ લઈને ધનવાન થયેલો માણસ,+ગરીબને કૃપા બતાવનાર માણસ માટે પોતાનું ધન ભેગું કરે છે.+  ૯  જે નિયમ પાળવાનો નકાર કરે છે,તેની પ્રાર્થના પણ ધિક્કારને લાયક છે.+ ૧૦  નેકને ખોટા માર્ગે દોરી જનાર પોતે ખોદેલા ખાડામાં પડે છે,+પણ નિર્દોષને* વારસામાં સારી વસ્તુઓ મળે છે.+ ૧૧  અમીર પોતાને બહુ બુદ્ધિમાન સમજે છે,+પણ તે ખરેખર કેવો છે એ સમજુ ગરીબ પારખી લે છે.+ ૧૨  નેક માણસ જીતે ત્યારે લોકો આનંદ-ઉલ્લાસ કરે છે,*પણ દુષ્ટ માણસ સત્તામાં આવે ત્યારે લોકો સંતાઈ જાય છે.+ ૧૩  જે પોતાના અપરાધ છુપાવે છે, તે સફળ નહિ થાય,+પણ જે એને કબૂલ કરે છે અને છોડી દે છે, તેને દયા બતાવવામાં આવશે.+ ૧૪  સુખી છે એ માણસ, જે હંમેશાં સાવધ રહે છે,*પણ હૃદય કઠોર કરનાર પર આફત આવી પડશે.+ ૧૫  લાચાર લોકો પર રાજ કરતો દુષ્ટ શાસક,+ગર્જના કરનાર સિંહ અને હુમલો કરનાર રીંછ જેવો છે. ૧૬  અણસમજુ આગેવાન પોતાની તાકાતનો દુરુપયોગ કરે છે,+પણ બેઈમાન કમાણીને ધિક્કારનાર પોતાનું આયુષ્ય વધારે છે.+ ૧૭  ખૂની માણસ* કબરમાં* જતા સુધી નાસતો ફરે છે,+તેને કોઈએ મદદ કરવી નહિ. ૧૮  સીધા માર્ગે ચાલનારને* બચાવવામાં આવશે,+પણ અવળે માર્ગે ચાલનાર અચાનક પડી જશે.+ ૧૯  ખેતર ખેડનારને પુષ્કળ ખોરાક મળશે,પણ નકામી વસ્તુઓ પાછળ ભાગનાર પર ગરીબી આવી પડશે.+ ૨૦  વિશ્વાસુ માણસને ઘણા આશીર્વાદો મળશે,+પણ જે રાતોરાત અમીર બનવા માંગે છે, તે નિર્દોષ રહેશે નહિ.+ ૨૧  ભેદભાવ કરીને કોઈનો પક્ષ લેવો યોગ્ય નથી,+પણ રોટલીના એક ટુકડા માટે માણસ ખોટું કામ કરે છે. ૨૨  ઈર્ષાળુ* માણસ સંપત્તિ પાછળ ભાગે છે,પણ પોતાના પર ગરીબી આવી પડશે એ તે જાણતો નથી. ૨૩  ખુશામત કરનાર માણસ કરતાંઠપકો આપનાર+ છેવટે વધારે વહાલો લાગશે.+ ૨૪  જે પોતાનાં માબાપને લૂંટીને કહે છે, “એમાં કંઈ ખોટું નથી!”+ તે બરબાદી લાવનારનો સાથીદાર છે.+ ૨૫  લાલચુ* માણસ ઝઘડા ઊભા કરે છે,પણ યહોવા પર ભરોસો રાખનાર આબાદ* થશે.+ ૨૬  પોતાના હૃદય પર ભરોસો રાખનાર માણસ મૂર્ખ છે,+પણ બુદ્ધિના માર્ગે ચાલનાર બચી જશે.+ ૨૭  જે માણસ ગરીબને કંઈક આપે છે, તેને કશાની ખોટ પડશે નહિ,+પણ જે તેનાથી મોં ફેરવી લે છે, તેને લોકો શ્રાપ આપશે. ૨૮  દુષ્ટ માણસ સત્તામાં આવે ત્યારે લોકો સંતાઈ જાય છે,પણ તેનો અંત આવે ત્યારે નેક લોકો આબાદ થાય છે.+

ફૂટનોટ

અથવા, “બંડથી.”
મૂળ, “તે.”
અથવા, “પ્રમાણિકને.” શબ્દસૂચિમાં “પ્રમાણિક” જુઓ.
અથવા, “ત્યારે મહિમા થાય છે.”
અથવા, “જે હંમેશાં ઈશ્વરનો ડર રાખે છે.”
અથવા, “જેના માથે લોહીનો દોષ છે, તે માણસ.”
અથવા, “ખાડામાં.”
અથવા, “પ્રમાણિકને.” શબ્દસૂચિમાં “પ્રમાણિક” જુઓ.
અથવા, “લાલચુ.”
અથવા કદાચ, “ઘમંડી.”
મૂળ, “તગડો.”